જી.આઇ.ડી.સી. વિસ્તારમાં લવ મેરેજના મુદ્દે ઝઘડો થતા પથ્થરમારો

છૂટાછેડા થયા પછી પણ યુવતી જતી રહેતા મારામારી

Updated: May 30th, 2024


Google NewsGoogle News
જી.આઇ.ડી.સી. વિસ્તારમાં લવ મેરેજના મુદ્દે ઝઘડો થતા પથ્થરમારો 1 - image

વડોદરા,મકરપુરામાં લવ મેરેજના મુદ્દે ઝઘડો થતા પથ્થરમારો થયો હતો. જે અંગે ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મકરપુરા જી.આઇ.ડી.સી. શાક માર્કેટ પાસે ડાહીબા નગરમાં રહેતા ૬૭ વર્ષના રાજુભાઇ રામાભાઇ ભાલીયાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા દીકરા મુકેશ રાજુભાઇ ભાલીયાની દીકરી જ્યોતિએ ત્રણ વર્ષ પહેલા લક્ષ્મણ ઉર્ફે લખન સુખદેવભાઇ પનાડની સાથે લવ મેરેજ કર્યા છે. લવ મેરેજ કર્યા પછી ગત તા. ૧૩ મી એ તેઓના છૂટાછેડા થઇ ગયા હતા. છૂટાછેડા પછી જ્યોતિ ફરીથી લક્ષ્મણના ઘરે જતી રહી હતી. આ બાબતે અમે તેઓને કહેવા જતા તેઓએ અમારી સાથે ઝઘડો કર્યો હતો. લક્ષ્મણ છૂટા પથ્થર મારવા લાગ્યો હતો. મારી પત્ની દીવાળીબેન છોડાવવા વચ્ચે પડતા તેઓને જમણા ઘુંટણની નીચે ઇજા થઇ હતી. રામ પનાડે તલવારથી મારા  પર હુમલો કર્યો હતો. દરમિયાન લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી ગયા હતા.


Google NewsGoogle News