પિતાએ કામ ધંધો કરવાનું કહેતા પુત્રને લાગી આવતા આપઘાત

વાઘોડિયા રોડના પ્રૌઢે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
પિતાએ કામ ધંધો કરવાનું કહેતા પુત્રને લાગી આવતા આપઘાત 1 - image

 વડોદરા,પિતાએ કામ ધંધો કરવાનું કહેતા લાગી  આવતા ૨૩ વર્ષના  પુત્રે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સમતા વૈકુંઠ ફ્લેટમાં રહેતા ૨૩ વર્ષના કેતન હસમુખભાઇ ગોહિલે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હે.કો. બળદેવભાઇ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, કેતનને કોઇ કામ ધંધો મળતો નહતો. જેથી, તેના પિતાએ કામ ધંધો કરવાનું કહેતા લાગી આવતા ફાંસો ખાઇ લીધો હતો. કેતનના પિતા દરજી કામ કરે છે. જ્યારે તેની માતા બંગલામાં રસોઇ કામ કરે છે. 

જ્યારે અન્ય એક બનાવની પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ વલ્લભ હોસ્પિટલની પાછળ દિવ્ય કૃપા ફ્લેટમાં રહેતા ૫૮ વર્ષના મુકેશભાઇ વિઠ્ઠલભાઇ રાજપૂતે ગઇકાલે રાતે પોણા નવ વાગ્યે પોતાના ઘરે મકાનની બાલ્કનીમાં નાયલોનની દોરી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનના હે.કો. પ્રકાશજી વાલાજીએ તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News