વડોદરામાં શ્રીજી વિસર્જનના કુત્રિમ તળાવમાં સાપ દેખાયો, વડસર હોસ્પિટલ પાસે સાપનું રેસ્ક્યુ
વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2023,શનિવાર
વડોદરામાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાંથી મગરો અને શરીર સ્વરૂપે બહાર નીકળી આવવાના રોજે રોજ બનાવ બની રહ્યા છે. જે દરમિયાન વધુ એક સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
એક તરફ વડોદરામાં શ્રીજી વિસર્જન માટે નવલખી કમ્પાઉન્ડમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યારે નદી નજીક આવેલા આ તળાવમાં મગર અને સાપ આવી જતા હોવાના બનાવ બનતા હોય છે. કુત્રિમ તળાવમાં એક સાપ દેખાયો હોવાનો એક વિડિયો તાજેતરમાં વાયરલ થયો છે. જેને પગલે તંત્ર દ્વારા તળાવ સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
બીજી તરફ વળસર નજીક ખિસકોલી સર્કલ પાસે આવેલી એક હોસ્પિટલ પાસે ચારેક ફૂટનો સાપ નજરે પડતા બાઈક સવારે જીવ દયા કાર્યકરને જાણ કરી હતી. જેથી તેમણે ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.