વડોદરામાં સોસાયટીના બંધ મકાનમાંથી રૂ.1.80 લાખ મતાની ચોરી : નણંદના ઘરે ગયા ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
વડોદરામાં સોસાયટીના બંધ મકાનમાંથી રૂ.1.80 લાખ મતાની ચોરી : નણંદના ઘરે ગયા ત્યારે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું 1 - image

image ; Freepik

Theft Case of Vadodara : વડોદરાના માંજલપુર વિસ્તારમાં અવધુત ફાટક પાસેની સોસાયટીમાં રહેતા વિધવા મહિલા પુત્ર સાથે તેમની નણંદ બીમાર હોય બે દિવસ તેમના ઘરે રહેવા માટે ગયા હતા. ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 1.80 લાખ મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેથી મહિલાએ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અવધૂત ફાટક પાસેની શિવસ સોસાયટીમાં રહેતા સુહાસી નરેન્દ્રભાઈ અંનત ગડકરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.23 જુનના રોજ મારી નંણદ પ્રિયંકાબેન ગાયકવાડનુ આંખનું ઓપરેશન કરેલું હોય હું તેમના માંજલપુર વિસ્તારમાં આવેલા ઘરે રહેવા ગઇ હતી. ત્યારે મારી પુત્રી 2 જુલાઇના રોજ અમારા ઘરે બપોરના બાર વાગ્યાના અરસામાં ગઇ હતી અને ઘરમાં સાફ સફાઈ કરી ઘરના દરવાજાને તાળું મારી નંણદના ઘરે પરત આવી ગઇ હતી. બાદમાં અમે 4 જુલાઇના રોજ અમારા ઘરે ગયા હતા. ત્યારે મેઇન દરવાજાનો તથા જાળીનો નકુચો તુટેલો હતો. જેથી અમે ઘરમાં જઈ તપાસ કરતા પુજાના રૂમમાં તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને તેમાં મુકેલો સર-સામાન વેર વિખેર પડેલો હતો. જે તિજોરીમાંથી વર્ષો જુના સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. જેથી અમારા મકાન બંધ હતું તે દરમિયાન તસ્કરો મારા મકાનમાં ઘુસ્યા હતા અને સોના-ચાંદીના દાગીના મળી રૂપીયા 1.80 લાખ માલમતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. માંજલપુર પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News