ઉત્તરાયણ દરમિયાન દાંડિયાબજારની ગેસ ઓફિસ સહિત છ સ્થળોએ આગ

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
ઉત્તરાયણ દરમિયાન  દાંડિયાબજારની ગેસ ઓફિસ સહિત છ સ્થળોએ આગ 1 - image

વડોદરાઃ ઉત્તરાયણના પર્વ દરમિયાન શહેરમાં અડધો ડઝનથી વધુ સ્થળે આગ લાગવાના બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ઉત્તરાયણને બીજા દિવસે મોડી સાંજે ફટાકડાના ધૂમધડાકા વચ્ચે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની ગેસ ઓફિસના ટોપ ફ્લોર પર આગ લાગી હતી.આસપાસના લોકો ટેરેસ પર હોવાથી આગ તરત જ દેખાઇ હતી.નજીકમાં જ ફાયર સ્ટેશન હોવાથી આગ કાબૂમાં લઇ લેવામાં આવી હતી.આગનું કારણ એસીમાં શોર્ટ સર્કિટ હોવાનું મનાઇ રહ્યું છે.

અન્ય એક બનાવમાં માંજલપુરના દરબાર ચોકડી નજીક ગજાનંદ હાઇટ્સ પાસે એક મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડે કામગીરી કરી હતી.

જ્યારે,પાણીગેટ ભદ્રકચેરી પાછળ એક મકાનમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડે કામગીરી કરી હતી.નરસિંહજીની પોળમાં પણ એક મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.


Google NewsGoogle News