શાહરૃખે કિશન અને સાજીદે સુનિલ નામ ધારણ કર્યું હિન્દુની ઓળખ આપી બે સગી બહેનો પર દુષ્કર્મ આચર્યું

જંબુસર તાલુકામાં બંને સગીર બહેનોને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યા બાદ બંને નરાધમોનો ભાંડો ફૂટયો ઃ બંનેની રિમાન્ડ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
શાહરૃખે કિશન અને સાજીદે સુનિલ નામ ધારણ કર્યું  હિન્દુની ઓળખ આપી બે સગી બહેનો પર દુષ્કર્મ આચર્યું 1 - image

ભરૃચ તા.૧૭ ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદમાં બે વિધર્મીઓએ અનુસૂચિત જાતિની બે સગી સગીર બહેનોને હિન્દુ નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ જઈ બંને સગીર બહેનો ઉપર દુષ્કર્મ આચરતા પોલીસે બંને વિધર્મીઓ સામે બળાત્કાર, અપહરણ, પોક્સો અને એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંને હવસખોરોની ધરપકડ કરી હતી.

કાવી પંથકમાં રહેતા વાલીએ ગત તા.૯ સપ્ટેમ્બરની રાત્રે અજાણયા શખ્સો મારી બંને સગીર દીકરીઓનું અપહરણ કરી લઈ ગયા છે તેવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન તા.૧૩ના રોજ બંને સગીર બહેનોને પોલીસે શોધી કાઢી હતી. પોલીસે બંને બહેનોની પૂછપરછ કરતાં શાહરુખ પઠાણ તથા સાજીદ પટેલ બંને મુસ્લિમ કોમના હોવા છતાં પોતે હિંદુ છે તેમ એકે કિશન તથા બીજાએ સુનિલ તરીકે ખોટી ઓળખ આપી હતી અને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યા હતાં.

બંને સગીર બહેનોનું અપહરણ કરનાર કિશન ઉર્ફે શાહરુખ ઐયુબ પઠાણ તથા સુનિલ ઉર્ફે સાજીદ શબ્બીર પટેલ (બંને રહે.શનિયાનો વડ, નવીનગરી, જંબુસર)એ બંને બહેનોનું અપહરણ કરી બંને પર દુષ્કર્મ આચર્યું હતું. આખરે બંનેની ઘરપકડ કરી પોલીસે બંનેના વધુ પૂછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.




Google NewsGoogle News