સરદાર ભુવનના ખાંચામાં જ્યુબિલી બાગ તરફથી જઇ શકાશે નહીં

રોડ પર ઓડ ઇવન ડેટને અનુલક્ષીને પાર્કિંગ કરવાનું રહેશે

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
સરદાર ભુવનના ખાંચામાં જ્યુબિલી બાગ તરફથી જઇ શકાશે નહીં 1 - image

વડોદરા,સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગના મુદ્દે થયેલા મર્ડર બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ  દ્વારા નો એન્ટ્રી અને નો પાર્કિંગ બાબતે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

થોડા દિવસો પૂર્વે શહેરના સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી તકરારમાં મર્ડર થયું હતું.  આ વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા કાયમી છે. તેના કારણે અવાર - નવાર ઝઘડા થતા હોય છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આજે એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જ્યુબિલી બાગ સર્કલથી સરદાર ભુવનના ખાંચામાં કોઇપણ વાહન જઇ શકશે નહીં. સરદાર ભુવનના ખાંચામાં જવા માટે  જ્યુબિલી બાગ સર્કલથી સરદાર ભુવનના ખાંચા ત્રણ રસ્તા થઇ ભક્તિ સર્કલ,  હુજરત પાગા રોડ, કારેલીબાગ પોલીસ સ્ટેશન થઇ સરદાર ભુવનના ખાંચામાં જઇ શકાશે.

જ્યારે સરદાર ભુવનના ખાંચામાં રોડ  પર ઓડ ઇવન ડેટને અનુરૃપ વાહન  પાર્ક કરવાના  રહેશે


Google NewsGoogle News