'સમા શાહે સરકારે એટેચ કરેલી ટ્રસ્ટની જમીનના વેચાણ દસ્તાવેજ કરી નાખ્યા'
વૈષ્ણવાચાર્ય ધ્રુમિલકુમારજી અને વૈષ્ણવ અગ્રણીએ મથુરાની જમીનના વોચમેન પાસે ખંડણી માગી હોવાના કેસમાં યુ-ટર્ન
વડોદરા : વૈષ્ણવાચાર્ય ધુ્રમિલકુમારજી અને મુંબઇના વૈષ્ણવ અગ્રણી રાજેશ રાઠીએ મથુરાની જમીન સંદર્ભે જમીનની રખેવાળી કરતા વોચમેન પાસે રૃ.૧૦ કરોડની ખંડણી માગીને ધમકીઓ આપી હોવાની ફરિયાદ મથુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.પરંતુ આ ફરિયાદમાં યુ-ટર્ન આવ્યો છે. સમા પી. શાહે ઇન્દિરાબેટીજી ટ્રસ્ટની જમીન કે જે સરકારે એટેચ કરી છે તેને જ વેચી મારવાનો કારસો રચ્યો છે અને તેનો પર્દાફાશ થતાં સમા.પી.શાહે મારી અને રાજેશ રાઠી સામે ખોટી ફરિયાદ કરી છે તેવો આક્ષેપ ખુદ વૈષ્ણવાચાર્ય કરી રહ્યા છે
FIR પ્રમાણે તા.3 સપ્ટેમ્બરે મે મથુરામાં વોચમેનને રસ્તામાં રોકીને ધમકી આપી પણ તા.1 થી 6 સપ્ટેમ્બર હું વડોદરામાં હતો : ધુ્રમિલકુમારજી
વૃંદાવનની આ જમીન સમા પી.શાહ અને અન્ય લોકોએ જૂના ટ્રસ્ટમાં ખોટી રીતે પોતાને ટ્રસ્ટી તરીકે બતાવીને નવા ટ્રસ્ટમાં દાનમાં લીધી છે. જેનો પણ કોર્ટ કેસ અમદાવાદમાં ચાલી જ રહ્યો છે. આ વિવાદમાં સમા પી.શાહે જૂના ટ્રસ્ટમાં ગેરકાનુની રીતે ઘુસાડેલા કેટલાક ટ્રસ્ટીઓને જોઈન્ટ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર દ્વારા ઓર્ડર કરીને ટ્રસ્ટી માંથી હટાવી દીધા છે. મથુરા પોલીસ સ્ટેશનમાં અમારી સામે ખોટી ફરિયાદ સંદર્ભે અમે આજે આઇ.જી.ને પણ મળ્યા હતા તેઓએ આ કેસમાં નિષ્પક્ષ તપાસની ખાત્રી અમને આપી છે.'