વડોદરાના ભાયલીમાં સિદ્ધિવિનાયક પ્લાઝાની ઈમારત નમતાં 50 ફ્લેટોના રહીશોના જીવ અધ્ધર

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
વડોદરાના ભાયલીમાં સિદ્ધિવિનાયક પ્લાઝાની ઈમારત નમતાં 50 ફ્લેટોના રહીશોના જીવ અધ્ધર 1 - image

વડોદરા,તા.16 માર્ચ 2024,શનિવાર 

વડોદરા બાયલી વિસ્તારમાં થોડા સમય પહેલા જ બનેલી રેસીડેન્સ ઈમારત નમી પડી હોવાની આશંકાને પગલે રહીશો બહાર નીકળી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને બેરીકેટીંગ કરી કોર્પોરેશનને વધુ તપાસ કરવા જાણ કરી છે.

ભાયલીના લલીતા પાર્ટી પ્લોટ પાસે આવેલી સિદ્ધિવિનાયક પ્લાઝા નામની ઇમારત સાતેક વર્ષ પહેલા બનેલી છે અને ત્રણ વીગમાં લોકો રહી રહ્યા છે. અંદાજે 50 જેટલા ફ્લેટ ધરાવતી આ ઈમારતની બાજુમાં નવી કન્સ્ટ્રક્શનની સાઇટ માટે ખોદકામ ચાલી રહ્યું હોવાથી નીચેના સ્લેબનો કેટલોક ભાગ તૂટ્યો હતો.

બનાવને પગલે સ્થાનિક રહીશોમાં બિલ્ડીંગ નમી પડી હોવાની વાત રહેતી થઈ હતી અને તેઓ બહાર નીકળી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ હતી અને પ્રાથમિક તપાસ કરતા બિલ્ડીંગને કોઈ ખાસ નુકસાન જણાયું નથી. આમ છતાં કોર્પોરેશનને વધુ તપાસ કરવા માટે જાણ કરવામાં આવી છે અને બિલ્ડીંગની આસપાસ બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News