વિધવાને ધમકાવી બળાત્કાર ગુજારનાર રાજેશ મંદિરમાંથી નીકળતાં જ પકડાયો

Updated: May 14th, 2024


Google NewsGoogle News
વિધવાને ધમકાવી બળાત્કાર ગુજારનાર રાજેશ મંદિરમાંથી નીકળતાં જ પકડાયો 1 - image

વડોદરાઃ મકાન વેચાણ કરવાની વાત કરવા વિધવાના ઘરે જઇ બળાત્કાર ગુજારનાર  પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પીએ તરીકે ઓળખ આપતા  રાજેશ ગોહિલને જવાહરનગર પોલીસે મંદિરની બહાર જ દબોચી લીધો હતો.

 શહેર નજીકના ગામમાં રહેતી ૩૩ વર્ષની વિધવાને પોતાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા એક વર્ષથી રાજેશ ગોહિલ નામના ૪૫ વર્ષના આધેડના સંપર્કમાં આવી હતી. રાજેશ ગોહિલ અવારનવાર મહિલાના ઘરે જતો હતો.ગત તા.૪ થી એ સાંજે સાડા સાતથી આઠ વાગ્યાના સમયમાં રાજેશ ગોહિલ વિધવાના ઘરે ગયો હતો અને તેની એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હતો.

આ દરમિયાન વિધવાની દીકરી અને જમાઇ આવી જતાં રાજેશ વિધવાને ધમકી આપી ટુવાલ લપેટીને પાછલા દરવાજેથી ભાગી ગયો હતો.જવાહરનગરના પીઆઇ મોરીએ બે ટીમો મોકલી આરોપીના આશ્રય સ્થાનો પર તપાસ કરીહતી.

આ દરમિયાન તે અનગઢના રામપુરા ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર હોવાની માહિતી મળતાં પોલીસે રાજેશ પ્રતાપભાઇ ગોહિલ(હાલ રહે.ઉંચી પોળ,પાદરા મૂળ રહે,સાંઢા ગામ, પાદરા)ને ઝડપી પાડયો હતો.


Google NewsGoogle News