દિવાળીને કારણે કામ અધુરૃં રહેતાં અલકાપુરી તરફ જવાના માર્ગવાળું ગરનાળું 12 ડિસેમ્બર સુધી બંધ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
દિવાળીને કારણે કામ અધુરૃં રહેતાં અલકાપુરી તરફ જવાના માર્ગવાળું ગરનાળું 12 ડિસેમ્બર સુધી બંધ 1 - image

વડોદરાઃ અલકાપુરી ગરનાળાનું સમારકામ અધુરૃં રહેતાં ફરી એકવાર અલકાપુરી તરફ જતા માર્ગની અવરજવર બંધ કરવામાં આવી છે.

રેલવે દ્વારા અલકાપુરી ગરનાળાનું સમારકામ કરવામાં આવી રહ્યું હોવાથી અગાઉ જાહેરનામું બહાર પાડી અવરજવર બંધ કરવામાં આવી હતી.પરંતુ દિવાળીને કારણે ટ્રાફિકનું ભારણ વધુ હોવાથી કામ અધુરૃં રહ્યું હતું.

જેથી રેલવે વિભાગ દ્વારા પોલીસ કમિશનરને જાણ કરાતાં તા.૨૩ નવેમ્બરથી તા.૧૨ ડિસેમ્બર સુધી કાલાઘોડાથી અલકાપુરી જતા ગરનાળાના માર્ગને બંધ કરવામાં આવ્યો છે.વાહનચાલકો કડકબજાર નાકાથી તેમજ કાલાઘોડા સર્કલ,ડેરીડેન સર્કલ જઇ જેતલપુર બ્રિજ વાળા માર્ગે જઇ શકશે.


Google NewsGoogle News