વડોદરાના સલાટવાડા અને નવી ધરતીમાં ભાજપના કાઉન્સિલરોને ઘેરાવ.. 'હવે સહાનુભૂતિ લેવા આવ્યા છો'

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
વડોદરાના સલાટવાડા અને નવી ધરતીમાં ભાજપના કાઉન્સિલરોને ઘેરાવ.. 'હવે સહાનુભૂતિ લેવા આવ્યા છો' 1 - image


Vadodara BJP : વડોદરામાં પૂરના પાણી ફરી વળતાં ત્રણ દિવસ સુધી હેરાન થઇ ગયેલા લોકોનો રોષ હજી ઠંડો પડયો નથી.જેને કારણે કિટ વિતરણ કરવા જતા ભાજપના આગેવાનો હજી પણ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. સોમવારે સલાટવાડા વિસ્તારમાં ભાજપના કાઉન્સિલર બંદિશ શાહ અને કાર્યકરો મુલાકાતે ગયા ત્યારે તેમને સ્થાનિક રહીશોની નારાજગીનો સામનો કરવો પડયો હતો.

જ્યારે,આજે નાગરવાડા નવીધરતી વિસ્તારમાં કિટ વિતરણ માટે  ભાજપના કાઉન્સિલરો બંદિશ શાહ,મનોજ પટેલ અને શ્વેતાબેન ગયા ત્યારે પણ લોકો તેમને ફરી વળ્યા હતા.કેટલાક લોકોએ પીવાનું પાણી નહતું ત્યારે કેમ ના દેખાયા,હવે સહાનુભૂતિ લેવા નીકળ્યા છો..તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

તો કેટલાક લોકોએ કેશડોલ વિતરણમાં  વહાલા દવલાની નીતિ અપનાવતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.આમ,ભાજપના મંત્રી અને ધારાસભ્યોની સાથે હવે સ્થાનિક આગેવાનોને પણ લોકોના રોષનો અનુભવ થઇ રહ્યો છે.


Google NewsGoogle News