વડોદરાના નર્મદા ભવનમાંથી જામીન આપી પરત જતા ત્રણ યુવકો પર પાઇપથી હુમલો
image : freepik
- નિઝામપુરાના આંબેડકર ચોકમાં થયેલા ઝઘડાની અદાવતે રસ્તામાં રોકી માર માર્યો
વડોદરા,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર
નિઝામપુરાના આંબેડકર ચોકમાં થયેલા ઝઘડાના બાબતે નર્મદા ભવન ખાતે જામીન આપી ઘરે જતા ત્રણ યુવકો પર પાઇપ વડે હુમલો કરાયો હતો. જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘવાયેલા યુવકની ફરિયાદના આધારે પોલીસે શમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના નિઝામપુરાના આંબેડકર ચોકમાં રહેતા વિકાસ છગનભાઇ સોલંકી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરુ છુ.ગઈ કાલ તા.૨ ઓક્ટોબરના રોજ રાત્રના નિઝામપુરા આંબેડકર ચોકમાં મારા ફોઇના દિકરા મિતુલ શાંતિલાલ સોલંકી તથા નિલેશ અરવિંદભાઇ સોલંકી વચ્ચે ઝઘડો તકરાર થઈ કરી હતી. જેથી આ બાબતે અમે તેઓના નર્મદાભુવન ખાતે જામીન કરાવવા માટે આવેલા અને આશરે સાડા પાંચ વાગે જામીન આપી હું તથા મિતુલભાઇ શાંતિલાલ સોલંકી એકટીવા ઉપર નિકળેલા અને જયેશ નટવરભાઇ સોંલકી તથા રાહુલભાઇ શાંતિલાલ સોંલકી તથા બાબુભાઇ મોહન સોંલકી બીજા એકટીવા ઉપર ઘરે જવા નિકળેલ હતા. ત્યારે નર્મદાભુવનથી નિકળી જેલ રોડ ઉપર થઈ જતી વખતે વિકાસ સોલંકી જે વાડી વિસ્તારમાં રહે છે તેણે મને પ્લાસ્ટીકની પાણીની પાઇપનો ફટકો બરડામાં મારી દિધેલો જેથી હું તથા અમારી સાથેના ચારેય જણાએ એકટીવા ઉભા કરી દેતા આ વિકાસ સોલંકી તથા તેની સાથેના નૈનેશ સોલંકી (રહે.કિશનવાડી તથા નંદુ ઉર્ફે બીયો રહે.કિશનવાડી) તથા સન્ની સોંલકી મળી ચારેય જણા હાથમાં પાઇપો લઈ ઉભા રહી ગયેલા અને મને વિકાસ સૉલંકીએ પાઇપોના ફટકા માર્યા હતા. તે વખતે નૈનેશ સોંલકીએ પાઇપ થી જયેશભાઇ અને મિતુલભાઇ પર નંદુ ઉર્ફે બટીયોએ પાઈપથી હુમલો કર્યો હતો.ઉપરાંત રાહુલ શાંતિલાલ સોંલકીને પણ સન્ની સોંલકી માર માર્યો હતો. આ ચારેય જણાએ અમારી એકટીવા ઉપર પણ પાઇપો મારી નુકશાન કર્યું હતું. મોણસો ભેગા થઈ જતા અમોને બચાવવા બુમાબુમ કરતા ચારેય જણાની પાસેથી છટકીને ભાગ્યા હતા અને અમો ચારેય એસ.એસ.જી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે. જેથી પોલીસે ત્રણેય હુમલાખોર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.