વડોદરામાં શીયાબાગ-ખંડેરાવ માર્કેટ પાસે ડ્રેનેજ લાઈન ઉભરાતા ગંદકીથી લોકો પરેશાન

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
વડોદરામાં શીયાબાગ-ખંડેરાવ માર્કેટ પાસે ડ્રેનેજ લાઈન ઉભરાતા ગંદકીથી લોકો પરેશાન 1 - image

વડોદરા,તા.2 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરાના શીયાબાગ-ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં શૌચાલય આવેલું છે જેની ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી હોવાથી સ્થાનિક રહીશો અને દુકાનદારોને ભારે દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ રસ્તેથી તંત્રના અનેક અધિકારીઓ પદાધિકારીઓ સહિત કોર્પોરેટરો વારંવાર પસાર થતા હોવા છતાં પણ આ સમસ્યાનું કોઈ નિવારણ કરવામાં આવતું નથી. તંત્ર દ્વારા આ સમસ્યાનો નિકાલ આવે એવી સ્થાનિક રહીશો, દુકાનદારો તથા રાહદારીઓની માંગ છે.


Google NewsGoogle News