પાણીગેટના સ્ક્રેપના વેપારીનો ફાંસો ખાઇને આપઘાત

બહેનને મોબાઇલ પર મેસેજ કર્યો કે, મને માફ કરી દેજો

Updated: May 10th, 2024


Google NewsGoogle News
પાણીગેટના સ્ક્રેપના વેપારીનો ફાંસો ખાઇને આપઘાત 1 - image

 વડોદરા,સ્ક્રેપના વેપારીએ બહેનને મોબાઇલ ફોન પર મેસેજ કરીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટ બાવામાનપુરા હાજી પાર્કની સામે રહેતો ૨૪ વર્ષનો આફતાબ હનિફભાઇ શેખ સ્ક્રેપનો ધંધો કરે છે. ગઇકાલે તે ઘરે   બીજા  માળે હતો.મોડી રાતે તેણે પોતાની બહેનને મોબાઇલ પર  મેસેજ કર્યો હતો કે, મને માફ કરજો. આ મેસેજ જોઇને પરિવારજનો ઉપરના માળે દોડી ગયા હતા.  દરવાજો અંદરથી બંધ  હોવાથી પરિવારજનોએ દરવાજો જોરથી ખખડાવતા સ્ટોપર ખૂલી ગઇ હતી. તેઓએ અંદર જોયું તો આફતાબે પંખા પર દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તેને નીચે ઉતારી નજીકની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સયાજી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને આપઘાતનું કારણ જાણવા માટે તપાસ  હાથ ધરી છે


Google NewsGoogle News