રૃપાલના પ્રસિદ્ધ વરદાયિની મંદિરે 23મીએ પલ્લી મેળો
ગામની શેરીમાં ચોખ્ખા ઘીની નદીઓ વહે છે તે
પરપરાગતરીતે નિકળતી માતાની પલ્લી લાખ્ખો ભક્તો ઉમટશેઃસ્થાનિક અને જિલ્લા તંત્ર તૈયારીમાં વ્યસ્ત
શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા રૃપાલ વરદાયિની માતાજી
મંદિરે દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો ભરાય છે અને આસ્થાની
સાથે કોમી એકતાના પ્રતિકસમા રૃપાલનો આ પલ્લી મેળો આ વખતે તા.૨૩, ઓક્ટોબરના રોજ
યોજાશે. તા.૨૩ ઓકટોબરને સોમવારે નિકળનારી
પલ્લીમાં લાખ્ખોની સંખ્યામાં ભક્તો ઉમટશે.પલ્લી માટેની તૈયારીઓ બે મહિના પહેલાથી જ
શરુ કરી દેવામાં આવી છે.
દર વર્ષની જેમ સઘળી કામગીરી ગ્રામજનોએ સંભાળી દીધી છે. ત્યારે આ વખતે પલ્લીના મેળામાં આઠ લાખથી વધુ માઈ ભક્તો ઉમટશે તેવો અંદાજ લાગવવામાં આવ્યો છે તેમજ ગામના વિવિધ ચોક અને ચોરામાં ઘી રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો આ ધાર્મિક કાર્યક્રમમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે.એટલુ જ નહીં, મંદિરમાં તેમજ માર્ગ પર સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે. જેનાથી મોટી સ્ક્રીન પર ભક્તો પલ્લીના દર્શન કરી શકે.હાલ મંદિર પ્રસાશનથી લઇને ગામના આગેવાનો અને ગ્રામજનોની સાથે જિલ્લા તંત્ર પણ પલ્લીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. રાત્રે તેમજ પરોઢે ગામમાં પહોંચે તે રીતે એસટી બસો દોડાવવા માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.