પાદરાના ભક્તનું અમરનાથ યાત્રા દરમિયાન અવસાન

મુંબઇ સુધી વિમાનમાં દેહને લાવ્યા બાદ આજે પાદરા લવાશે

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
પાદરાના ભક્તનું અમરનાથ યાત્રા દરમિયાન અવસાન 1 - image

પાદરા તા.૧૧ પાદરાની રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર ભટ્ટ(ઉં.વ.૫૩)નું અમરનાથ યાત્રા દરમિયાન બાલતાલ ગામે હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. 

પ્રાપ્ત વિગત મુજબ પાદરાના ફૂલબાગ જકાતનાકા પાસેથી પાદરાના ૧૫ તેમજ અન્ય વડોદરાથી ભક્તો અમરનાથ યાત્રા કરવા માટે લક્ઝરી બસમાં નીકળ્યા હતાં. પાદરા કરજણ રોડ જૂની આઈસ ફેક્ટરીની સામે  રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા ભટ્ટ ધર્મેન્દ્ર કુંદનલાલ પણ અમરનાથ યાત્રા કરવા ગયા હતા. અમરનાથ યાત્રા માટે પાદરાથી નીકળેલી બસ અંબાજી, રાજુલા, પંજાબ અમૃતસર થઈ કાશ્મીરના બાલતાલ પહોંચી હતી.

બાલટાલ ખાતે રાત્રે એસીડીટીની સમસ્યા થતા તેમણે હોસ્પિટલમાંથી દવા લીધા બાદ ધર્મેન્દ્ર ભટ્ટ બુધવારની રાત્રે ઊંઘી ગયા હતાં બાદમાં આજે સવારે તેઓ નિંદ્રામાંથી  નહીં જાગતા તેમને ફરી દવાખાને લઈ જવાયા હતા જ્યાં તેમનું અવસાન થયું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું. ઊંઘમાં હૃદય રોગનો હુમલો આવતા અવસાન થયું હોવાનું જાણવા મળેલ છે. 

ધર્મેન્દ્ર ભટ્ટના દેહને મુંબઈ સુધી ફ્લાઇટમાં લાવનાર છે ત્યારબાદ  એમ્બ્યુલન્સમાં પાદરા શુક્રવારે આવશે તેમ  જાણવા મળેલ છે. ધર્મેન્દ્ર ભટ્ટના અવસાનના સમાચાર જાણી પરિવારમાં દુઃખની લાગણી ફેલાઇ હતી.




Google NewsGoogle News