હાઇવે પર વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડીની વચ્ચે અકસ્માતમાં એકનું મોત

રિક્ષા ડ્રાઇવર રિક્ષા પાર્ક કરીને ચાલતો કપુરાઇ ચોકડી તરફ જતો હતો

Updated: May 12th, 2024


Google NewsGoogle News
હાઇવે પર વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડીની વચ્ચે અકસ્માતમાં એકનું મોત 1 - image

વડોદરા,હાઇવે પર વાઘોડિયા ચોકડીથી કપુરાઇ ચોકડીની વચ્ચે ચાલતા જતા રિક્ષા ડ્રાઇવરને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેનું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ડભોઇ રોડ શ્રમજીવી સોસાયટીની સામે ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા જયેશ નગીનભાઇ તડવી ( ઉં.વ.૩૪) રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે રાતે દશ વાગ્યે તેઓ રિક્ષા લઇને ઘરેથી નીકળ્યા હતા. તેમના પત્નીએ ૧૨ વાગ્યે કોલ કરતા તેમણે કોલ રિસિવ કર્યો નહતો. ત્યારબાદ જયેશભાઇએ સામેથી પત્નીને કોલ કરીને કહ્યું હતું કે, વાઘોડિયા ચોકડી  પાસે રિક્ષા પાર્ક કરીને હું ચાલતો કપુરાઇ ચોકડી તરફ જતો હતો. તે સમયે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ભાગી ગયો છે. જેથી, પત્નીએ દિયેરને કોલ કરીને કહેતા દિયેર અકસ્માત વાળા સ્થળે જતો હતો. તે દરમિયાન સામેથી આવતી એમ્બ્યુલન્સને રોકી જોતા તેમાં તેનો ભાઇ ઇજાગ્રસ્ત  હાલતમાં હતો. જેથી, ભાઇને લઇને સારવાર માટે તે હોસ્પિટલમાં ગયો હતો. જયેશને માથામાં સામાન્ય તથા કમર અને  પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન સવારે ચાર વાગ્યે તેઓનું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News