કરમસદના દેવરાપુરાના યુવકનો આપઘાત

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
કરમસદના દેવરાપુરાના યુવકનો આપઘાત 1 - image


મહીસાગર નદીમાં ઝંપલાવી દીધું

આણંદ: આણંદ તાલુકાના કરમસદના દેવરાપુરાના યુવકે મનમાં લાગી આવતા વાસદની મહીસાગર નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. વાસદ પોલીસે આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. કરમસદના દેવરાપુરા ખાતે દુધની ડેરી પાસે રહેતા ૨૨ વર્ષિય કિશનભાઈ સોલંકીના લગ્ન ગોઠવાયા હતા. પરંતુ લગ્ન ખર્ચને પહોંચી ન વળાય તેવું હોઈ મનમાં લાગી આવતા તેઓએ પોતાના ઘરેથી નીકળી વાસદ મહીસાગર નદીમાં ઝંપલાવતા ડૂબી જવાથી તેઓનું મોત નિપજ્યું હતું. 


Google NewsGoogle News