ઉત્તરાયણ નિમિત્તે નો એન્ટ્રી અને નો પાર્કિંગ

માંડવી ચાર દરવાજા, રાવપુરા રોડ અને જૂના પાદરા રોડ પર જાહેરનામુ અમલમાં

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
ઉત્તરાયણ નિમિત્તે નો એન્ટ્રી અને નો પાર્કિંગ 1 - image

 વડોદરા,ઉત્તરાયણ નિમિત્તે ખરીદી માટે ઉપડતી ભીડના કારણે લોકોને તકલીફ ના પડે તે માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગેનું  જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

તા.૧૩,૧૪ અને ૧૫ ના રોજ પતંગની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો માંડવી ચાર દરવાજા, રાવપુરા રોડ અને જૂના પાદરા રોડ પર મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી  પડતી હોય છે. તેના કારણે ટ્રાફિકનું ભારણ વધારે પડતું રહેતું હોય છે. ત્રણેય દિવસ સવારે નવ થી રાતના બાર વાગ્યા સુધી આ વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે આ વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો માટે નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે.



Google NewsGoogle News