સયાજી હોસ્પિટલમાં દીકરીનું મોતના સમાચાર સાંભળી આઘાતથી માતાનું મોત

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલમાં દીકરીનું મોતના સમાચાર સાંભળી આઘાતથી માતાનું મોત 1 - image


Vadodara Sayaji Hospital : વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળ વિભાગમાં બીમાર દીકરીને દાખલ કરવામાં આવી હતી. તેનું મોત નીપજતા તેની જાણ માતાને કરવામાં આવી હતી. દીકરીના મોતનો આઘાત સહન થતાં માતા બેહોશ બની હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું પણ મોત નીપજતા મિયાગામના નવીનગરી વિસ્તારમાં છવાઈ હતી.

કરજણ તાલુકાના મિયાગામની નવીનગરીમાં રહેતા ભુપત રાઠોડિયાની દીકરી બીમાર હતી. તેથી તેને વડોદરા સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. દરમિયાન દીકરીનું મોત નીપજ્યું હતું. તેની જાણ દીકરીની 32 વર્ષની માતા હંસાબેનને કરવામાં આવી હતી. આઘાત સહન નહીં થતા હંસાબેન અર્ધ બેહોશ હાલતમાં સરી પડ્યા હતા. તેથી તેમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું કરજણ પોલીસે જણાવ્યું છે. આ બનાવના કારણે રાઠોડિયા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.


Google NewsGoogle News