અનાથ સમજી ઘરમાં રાખ્યો તો માલિકની પુત્રીને ઉઠાવી ગયો

સયાજીપુરાના જાવેદ પઠાણ સહિત બે શખ્સો સામે ફરિયાદ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
અનાથ સમજી ઘરમાં રાખ્યો તો માલિકની પુત્રીને ઉઠાવી ગયો 1 - image

શિનોર તા.૧૪ શિનોર તાલુકાના એક ગામમાં રહેતી ૧૪ વર્ષ ૮ માસની સગીરાને વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં રહેતો જાવેદ પઠાણ તેના મિત્રની મદદથી અપહરણ કરીને લઇ ગયો હતો. 

શિનોર તાલુકામાં રહેતા અને જેસીબીના ડ્રાઈવરનું કામ કરતા પિતા વેકેશનમાં કુટુંબ સાથે તેઓના  વતનમાં તેના ભાઈના ઘરે ગયા હતાં. તેઓના ભાઈ પણ જેસીબીના ડ્રાઇવર છે અને તેનો ક્લીનર કલ્પેશ શાંતિલાલ તડવી (રહે.માંજરોલ,તાસંખેડા) છે. આ ક્લીનરે પોતાના મિત્ર જાવેદ પઠાણ અનાથ હોય એવું જણાવીને જેસીબીના ડ્રાઇવરના ઘરે રાખ્યો હતો. વેકેશનમાં સગીર દીકરી કાકાને ત્યાં રહેતાં જાવેદ પઠાણના સંપર્કમાં આવી હતી અને જાવેદની વાતમાં ભોળવાઈ ગઈ હતી.

વેકેશન પૂરું થતાં સગીરા ફરી શિનોર તાલુકાના ગામે આવી ગઇ હતી. આ સમય દરમિયાન તા.૩૦ જુલાઈના રોજ જાવેદ પઠાણ તથા કલ્પેશ તડવી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયા હતા. સગીરાના પિતા બીમાર રહેતા હોય તેની માતાએ દીકરીની શોધખોળ કરી હતી પરંતુ પત્તો નહી મળતા છેવટે શિનોર પોલીસ સ્ટેશને  સગીરાને ભગાડી જનાર જાવેદ પઠાણ (રહે.સયાજીપુરા,વડોદરા) તથા કલ્પેશ શાંતિલાલ તડવી સામે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ સીપીઆઇ કરી રહ્યા છે.




Google NewsGoogle News