વડોદરાના માંજલપુર વિસ્તારમાં કાલે શનિવારે સવારે 7 થી 11 સુધી વીજ પ્રવાહ મળશે નહીં

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
વડોદરાના માંજલપુર વિસ્તારમાં કાલે શનિવારે સવારે 7 થી 11 સુધી વીજ પ્રવાહ મળશે નહીં 1 - image

image : Freepik

વડોદરા,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ફીડરનું સમારકામ અને અંડર ગ્રાઉન્ડ કેબલનું કામકાજ કરવાનું હોવાથી માંજલપુર વિસ્તારની આસપાસની સોસાયટીનો સહિત તમામ વિસ્તારમાં કાલે શનિવારે સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા માંજલપુર વિસ્તારના શ્રીજી કુંજ ફીડર ખાતે રીપેરીંગ અને અંડર ગ્રાઉન્ડ કેબલનું કામ કરવાનું હોવાથી પુષ્પવાટીકા શિવમ સોસાયટી શ્રીજી કુંજ સોસાયટી ઓમકાર રેસીડેન્સી બાલકિશોર એપાર્ટમેન્ટ ભાટકુવાસ સ્વીટુ ટેનામેન્ટ શિવમ સોસાયટી સ્ટાર હોસ્પિટલ સુધીના રેલ્વે ફાટકના આજુબાજુના વિસ્તારમાં આવતીકાલ તા.7ને શનિવારે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે આમ છતાં જો રીપેરીંગનું કામકાજ વહેલું પૂરું થઈ જશે તો કોઈપણ જાતની અગાઉ જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે.



Google NewsGoogle News