વાઘોડિયા તાલુકાના અણખોલ ગામે વીજ કરંટ લાગતા આધેડ જમીન પર પટકાયો

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
વાઘોડિયા તાલુકાના અણખોલ ગામે વીજ કરંટ લાગતા આધેડ જમીન પર પટકાયો 1 - image

image : freepik

વડોદરા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર

વાઘોડિયા તાલુકાના અણખોલ ગામે વીજ કરંટ લાગતા આધેડ જમીન પર પટકાયો હોવાથી ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નર્મદા જિલ્લાના ગમોડ ગામના વતની ગોપાલ માધવભાઈ પરમાર હાલ વડોદરાના ડભોઇ રોડ પર અક્ષર સીટી સોસાયટીમાં રહે છે. તેઓ વીજ કંપનીમાં કાર્યરત છે. વાઘોડિયા તાલુકાના અણખોલ ગામની નિજાનંદ આશ્રમ નજીક આવેલી રુદ્રાક્ષ કાઉન્ટી સોસાયટીમાં 11 મી તારીખે રાતે 12:30 વાગ્યે તેઓ ટીસી પર ચડીને લાઈટનું કામ કરતા હતા. ત્યારે અચાનક કરંટ લાગતા તેવો જમીન પર પટકાયા હતા. તેથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


Google NewsGoogle News