મહત્વના સમાચાર: આજથી 7 દિવસ બંધ રહેશે આ બ્રિજ, ચાલી રહ્યું છે મુંબઇ-અમદાવાદ રેલવે પ્રોજેક્ટનું કામ

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
મહત્વના સમાચાર: આજથી 7 દિવસ બંધ રહેશે આ બ્રિજ, ચાલી રહ્યું છે મુંબઇ-અમદાવાદ રેલવે પ્રોજેક્ટનું કામ 1 - image


વડોદરાઃ મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટને અનુલક્ષીને ગોરવા મધુનગરના બ્રિજ પરનો વાહનવ્યવહાર તા.10 થી 17 જુલાઇ સુધી  બંધ રહેશે.

પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી કહ્યું છે કે,મધુનગર બ્રિજ થી છાણી તરફ જવાના વાહનો મધુનગર ચારરસ્તાથી ગોરવા બાપુની દરગાહ ત્રણ રસ્તા,અમરકાર ત્રણ રસ્તા ગેંડા સર્કલ,પંડયા બ્રિજ ફતેગંજ સર્કલથી નિઝામપુરા ધરમપુરી સર્કલ થી જમણી બાજુ ચિસ્તીયા નગર થી ડાબી બાજુ થઇ નવાયાર્ડ ફુલવાડી તરફ અવર જવર કરી શકશે.

જ્યારે,નવાયાર્ડ ફુલવાડી ચાર રસ્તાથી ફતેગંજ સર્કલ અને છાણી જકાતનાકા સર્કલ તરફ જતા વાહનો ચિશ્તીયા નગર ત્રણ રસ્તાથી જમણી બાજુ,ફતેગંજ પોલીસ સ્ટેશન, પંડયા બ્રિજ નીચેથી જઇ શકશે.આવી જ રીતે ફુલવાડી ચાર રસ્તાથી ચિસ્તીયાનગર  ત્રણ રસ્તા થી ડાબી બાજુ થઇ છાણી જકાત નાકા સર્કલ તરફ જઇ શકશે.


Google NewsGoogle News