કારેલીબાગમાં નવી બંધાતી સાઇટના સાતમા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત

ચોથા માળે બાંધેલી સેફ્ટી નેટ ફાટી જતા શ્રમજીવી છેક નીચે જમીન પર પટકાયો હતો..

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
કારેલીબાગમાં નવી બંધાતી સાઇટના સાતમા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત 1 - image

 વડોદરા,કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે નવી બંધાતી અર્થ  યુફોરિયા નામની સાઇટના સાતમા માળેથી નીચે પટકાયેલા શ્રમજીવીને ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું કરૃણ મોત નિપજ્યું છે. જે અંગે  હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ એલ એન્ડ ટી સર્કલ પાસે અથ  યુફોરિયા  નામની  સાઇટ બંધાઇ રહી છે. કન્સ્ટ્રક્શનનું કામ પરીખ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું છે. સાઇટ પર મોહંમદનિયાઝ મોહંમદમુજાહિર શેખ સેન્ટિંગનું કામ છેલ્લા છ મહિનાથી કરે છે. મૂળ બિહારનો મોહંમદનિયાઝ સાઇટ પર જ રહેતો હતો. ગઇકાલે સાંજે પાંચ વાગ્યે તે સાતમા માળે સેન્ટિંગનું કામ કરતો હતો. તે દરમિયાન અચાનક જ તે નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. અને સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા હરણી પોલીસે સ્થળ પર  જઇને તપાસ હાથ ધરી હતી. સાઇટ  પર મોહંમદનિયાઝ સાતમા માળે કામ કરતો હતો. જા ેકે, ચોથા માળે નેટ બાંધી  હતી. શ્રમજીવી નેટ પર પટકાતા નેટ ફાટી જતા તે નીચે પટકાતા મોત નિપજ્યું હતું. આજે સવારે પી.એમ. થયા પછી મોહંમદનિયાઝના બિહારથી આવેલા ભાઇને લાશ સોંપી દેવામાં આવી હતી.


Google NewsGoogle News