પોર જીઆઇડીસીની કંપનીમાં ક્રેન પરથી પડી જતા શ્રમજીવીનું મોત

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
પોર જીઆઇડીસીની કંપનીમાં ક્રેન પરથી પડી જતા શ્રમજીવીનું મોત 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

પોર જીઆઇડીસી ની કંપનીમાં કામ કરતા સમયે ક્રેન પરથી પડી જતા શ્રમજીવી નું મોત થયું છે.

મૂળ યુપી અને હાલમાં મકરપુરા એરફોર્સ પાછળ પાર્વતી નગરમાં રહેતો 22 વર્ષનો મહેન્દ્રસિંહ રામપતસિંહ પટેલ ગત 15મી તારીખે સાંજે 04:15 વાગે પોર જૂની જીઆઇડીસી માં આવેલ સેન્ટ્રલ ટેક મેક એન્જિનિયર્સ નામની કંપનીમાં જોબ ઉચકવા માટેની ક્રેન ઉપરથી જોબ નીચે ઉતારતો હતો જોબ ઉતરી ગયા બાદ તે અચાનક જ નીચે પડી જતા તેને સારવાર માટે પોર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું જે અંગે વરણામા પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે જેની તપાસ હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ કેરીયાભાઈ કરી રહ્યા છે.


Google NewsGoogle News