વડોદરામાં નર્મદા ભવન ખાતેના જનસેવા કેન્દ્રમાં પાણી ભરાતા કામગીરી ઠપ્પ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
વડોદરામાં નર્મદા ભવન ખાતેના જનસેવા કેન્દ્રમાં પાણી ભરાતા કામગીરી ઠપ્પ 1 - image


Waterlogging at Janseva Kendra Vadodara : વડોદરામાં નર્મદા ભવન ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ જનસેવા કેન્દ્રમાં પાણી લીકેજના કારણે ઠેર ઠેર પાણી ભરાતા જનસેવા કેન્દ્રની આજે કામગીરી પર મોટી અસર પડી હતી. જનસેવા કેન્દ્રના ફ્લોરિંગમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી અરજદારોને પરત જવું પડ્યું હતું. રવિવારની રજા બાદ આજે ખુલેલા જન સેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારના સરકારી સર્ટીફીકેટો લેવા આવતા અરજદારોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી લીકેજ થયું તે સ્થળ શોધવા માટે તંત્ર કામે લાગ્યું હતું. જોકે લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા જનસેવા કેન્દ્રની નર્મદા ભવન ખાતેની કામગીરી બંધ કરવી પડી હતી.

વડોદરામાં નર્મદા ભવન ખાતેના જનસેવા કેન્દ્રમાં પાણી ભરાતા કામગીરી ઠપ્પ 2 - image

Google NewsGoogle News