ગીતા મંદિર નજીક બાઇકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું મોત

ઇજાગ્રસ્ત મહિલા ત્રણ દિવસથી સયાજીમાં સારવાર હેઠળ હતી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
ગીતા મંદિર નજીક બાઇકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું મોત 1 - image

વડોદરા,વાડી ગીતામંદિર પાસે બાઇકની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. વાડી  પોલીસે ગુનો દાખલ કરી બાઇક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ગાજરાવાડી બાળા સાહેબના પીઠા પાછળ  રહેતા ગીતાબેન જશવંતભાઇ ચૌધરી ગત તા.૧૪ મી એ પ્રતાપનગર રોડ ગીતા મંદિર પાસેથી ચાલતા જતા હતા. તે દરમિયાન એક બાઇક ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા  થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે ગીતાબેનના જમાઇએ વાડી પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગીતાબેનનું ગઇકાલે મોત થયું હતું. જે અંગે વાડી  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News