ઉંડેરામાં વીજ લાઈનને સીડી અડી જતા એક શ્રમજીવીનું મોત

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા બીજા શ્રમજીવીની હાલત પણ ગંભીર

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News

 ઉંડેરામાં  વીજ લાઈનને સીડી અડી જતા  એક શ્રમજીવીનું મોત 1 - imageવડોદરા, ઉંડેરાના પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વીજ કંપનીની વીજ લાઈનને સીડી અડી જતા ખાનગી કંપનીનું કામ કરતા  બે શ્રમજીવી પૈકી એકનું મોત થયું છે. જ્યારે અન્ય શ્રમજીવીને સારવાર માટેે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

શહેરની નજીકના  ઉંડેરા ગામમાં આવેલા પેટ્રોલ પંપની પાછળ કંપાઉન્ડમાં રહેતો મૂળ બિહારનો બ્રિજેશ મદનભાઇ યાદવ ( ઉ.વ.૨૫) તથા બહરન ચૌહાણ ઉંડેરાના પેટ્રોલ પંપ નજીક કામ કરતા હતા.આજે સવારે સીડી લઇને પેટ્રોલ પંપ પાસેના રોડ  પરથી  પસાર થતા હતા. તે દરમિયાન ઉપરથી પસાર થતી વીજ લાઇનને સીડી અડી જતા બંને કામદારોન સખત રીતે દાઝી ગયા હતા. જે  પૈકી બ્રિજેશ યાદવનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય કામદાર બહરન ચૌહાણ પણ સખત રીતે દાઝી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત પણ  નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે જવાહર નગર  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News