સવારે દુકાનની બહાર ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોવા મળતા ટોળા

જમીન - મકાન લે - વેચનો ધંધો કરતા યુવકે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
સવારે દુકાનની બહાર ફાંસો ખાધેલી  હાલતમાં લટકતી લાશ જોવા મળતા ટોળા 1 - image

વડોદરા,જમીન અને મકાન લે - વેચનો ધંધો કરતા યુવકે મંદીના કારણે કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક બનાવમાં રખડતું જીવન  જીવતા યુવકે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભાયલી બ્રાઇટ સ્કૂલ પાછળ રહેતો પ્રજ્ઞોશ સનમુખભાઇ લિંબાચીયા જમીન અને મકાન લે - વેચનો ધંધો કરતો હતો.છેલ્લા કેટલાક સમયથી ધંધામાં મંદી ચાલતી હતી. ગઇકાલે ગેસનો બોટલ લેવા માટે તે વાડી રંગમહાલમાં રહેતી માતાના ઘરે આવ્યો હતો અને ત્યાં જ રોકાઇ ગયો હતો. આજે સવારે તેના મમ્મી નજીકમાં મંદિરે  દર્શન કરવા ગયા હતા. તેઓ દર્શન કરીને ઘરે પરત આવ્યા ત્યારે જોયું તો તેમના પુત્રે ગળા ફાંસો ખાઇ લીધો હતો. પાણીગેટ પોલીસે  હાથ ધરેલી  પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે, હાલમાં ધંધામાં મંદી ચાલતી હોય પ્રજ્ઞોશ ટેન્શનમાં રહેતો હતો.તેના કારણે જ તેણે આપઘાત કર્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

જ્યારે અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા  પાસે એક દુકાનની બહાર એક યુવકને ફાંસો ખાધેલી  હાલતમાં જોનાર વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરી હતી. કપુરાઇ પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા આપઘાત કરનાર રખડતું જીવન જીવતો ૪૦ વર્ષના મહેન્દ્ર જીવણભાઇ રાઠોડિયા હતો. તેના આપઘાતનું કારણ  જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News