Get The App

દાંડિયા બજારમાં ચોર સમજીને શ્રમજીવીને માર માર્યો

શ્રમજીવી સામે ચોરીની કોશિશનો અને હુમલો કરનાર સામે મારામારીનો ગુનો દાખલ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
દાંડિયા બજારમાં ચોર સમજીને શ્રમજીવીને માર માર્યો 1 - image

 વડોદરા,દાંડિયાબજાર વિસ્તારમાં બપોરે રિક્ષામાં બેસેલા શ્રમજીવીને ચોર સમજીને હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે રાવપુરા  પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરા પર રહેતા નયન અશોકભાઇ કહારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા ભાઇ જયદીપે ઘર પાસે રિક્ષા પાર્ક કરી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યે એક વ્યક્તિ રિક્ષાની આગળના ભાગે ડ્રાઇવર સીટ પર બેસીને રિક્ષામાં પૈેસા મૂકવાની  ડીકીમાંથી ચોરીનો પ્રયાસ કરતો હતો. જેથી, મારા પિતાએ તેને  પકડી નામ પૂછતા તેણે  પોતાનું નામ ભરત ત્રિકમભાઇ પરમાર ( રહે. વુડાના મકાનમાં,  કિશનવાડી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની સામે ચોરીની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે સામા  પક્ષે ભરત  પરમારે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, હું મજૂરી કામ માટે નીકળ્યો હતો. બપોરે હું દાંડિયાબજાર વિસ્તારમાં આવ્યો હતો. ત્યાં એક રિક્ષામાં હું બેઠો હતો. તે દરમિયાન નયન કહાર અને અશોક કહારે આવીને મને માર માર્યો હતો.


Google NewsGoogle News