પત્નીના વિરહમાં પતિએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું

એન્જિનિયરે અગમ્ય કારણોસર આપઘાત કર્યો

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
પત્નીના વિરહમાં  પતિએ ફાંસો ખાઇને જીવન  ટૂંકાવી દીધું 1 - image

વડોદરા,પત્નીના વિરહમાં રહેતા પતિએ ગઇકાલે  રાતે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે મંજુસરની ખાનગી કંપનીના એન્જિનિયરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કલાલી રોડ કિશન ગ્લોરીમાં રહેતા ૬૩ વર્ષના જ્યંતિભાઇ ચંદુભાઇ વસાવા નિવૃત્ત જીવન ગુજારે છે. તેમના પત્નીનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. પત્નીની સતત યાદમાં  રહેતા જ્યંતિભાઇ વસાવાએ ગઇકાલે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પત્નીના વિરહમાં જ તેમણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. બનાવ અંગે અટલાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, પ.બંગાળનો મૂળ વતની ડેબજીત અશોકકુમાર ચૌધરી (ઉ.વ.૨૫) છેલ્લા છ મહિનાથી અલકાપુરી સંપતરાવ કોલોનીમાં રહેતો હતો અને મંજુસરની ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. ગઇકાલે તેણે અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News