મૃત પતિના અંતિમ દર્શન માટે બે પુત્રીને લઇ આવેલી પત્ની ને સાસરીયાએ મારીને કાઢી મૂકતાં અભયમ મદદે આવી

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
મૃત પતિના અંતિમ દર્શન માટે બે પુત્રીને લઇ આવેલી પત્ની ને સાસરીયાએ મારીને કાઢી મૂકતાં  અભયમ મદદે આવી 1 - image

વડોદરાઃ વાઘોડિયા રોડ વિસ્તારમાં આપઘાત કરનાર પતિના અંતિમ દર્શન માટે આવેલી પત્નીને સાસરીયાએ રોકતાં તેણે અભયમની મદદ લીધી હતી.

પતિ સાથે ગૃહક્લેશ થતાં ત્રણ મહિનાથી પિયરમાં રહેતી પત્નીને મળવા બે દિવસ પહેલાં પતિ આવ્યો હતો અને દેવું થઇ ગયું હોવાની અને વ્યસન છોડી દઇશ તેવી વાત કરી હતી.જેથી પત્નીએ બનતી મદદ કરવાની તૈયારી બતાવી હતી.

રાતે પતિએ પત્નીને ફોન કરી ઘેર બોલાવી હતી અને આપઘાત કરવા જઇ રહ્યા હોવાની જાણ કરી હતી.જેથી પત્નીએ તરત  જ નણંદને ફોન કર્યો હતો.પોતે બંને પુત્રી સાથે પહોંચે તે પહેલાં પતિએ આપઘાત કરી લીધો હતો.

આ વખતે સાસરીયાએ મારઝૂડ કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.જેથી પત્નીએ અભયમની મદદ લેતાં પોલીસની સાથે આવેલી ટીમે તમામ સદસ્યોનું કાઉન્સેલિંગ કર્યું હતું અને સમજાવટ બાદ તમામે ભેગા મળી અંતિમક્રિયા કરી હતી.


Google NewsGoogle News