કારેલીબાગમાં વાન લઇને આવેલા ચોરો NRIના મકાનમાં ત્રાટક્યા,કાંઇ ન મળ્યું તો ચણા ખાઇને રવાના થયા

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
કારેલીબાગમાં વાન લઇને આવેલા ચોરો NRIના મકાનમાં ત્રાટક્યા,કાંઇ ન મળ્યું તો ચણા ખાઇને રવાના થયા 1 - image

વડોદરાઃ કારેલીબાગની સોસાયટીમાં વાન લઇને આવેલા ચોરોને કાંઇ હાથ નહિં લાગતાં રસોડામાંથી ચણા ખાઇને પરત ફર્યા હતા.

કારેલીબાગના અમિતનગર નજીક આવેલી પાયલ પાર્કમાં બનેલા બનાવનો વીડિયો પણ વાયરલ થયો છે.જેમાં વાનમાં આવેલા ચોરો રેકી કર્યા બાદ એક એનઆરઆઇના બંધ મકાનમાં ત્રાટક્ે છે.

ચોરોએ આખું મકાન ફેંદી કાઢ્યું હતું.પરંતુ કાંઇ હાથ લાગ્યું નહતું.આખરે તેઓ રસોડામાંથી ચણા ખાઇને પરત ચાલ્યા જાય છે.બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News