પતિ - પત્ની વચ્ચે બોલાચાલી થયા પછી પતિનો આપઘાત

દીકરાને ફોન કરીને કહ્યું કે, હું ભગવાનના ઘરે જઉં છું

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News

 પતિ - પત્ની વચ્ચે બોલાચાલી થયા પછી પતિનો આપઘાત 1 - imageવડોદરા,પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે કંકાસ થતા ઉશ્કેરાયેલા પતિએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, છાણી જકાતનાકા વિસ્તારની આનંદવન સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષના તરૃણકુમાર મહેન્દ્રભાઇ પટેલ જી.એસ.એફ.સીમાં ફોરમેન તરીકે નોકરી કરતા હતા. તેમના બે દીકરાઓ અભ્યાસ કરે છે. જ્યારે પત્ની બેલાબેન ઘરકામ કરે છે. પત્ની સાથે કોઇ બાબતે તેઓને ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઝઘડો વધે નહીં તે માટે પત્ની ઘરેેથી બહાર  નીકળી ગઇ હતી. પરંતુ, આવેશમાં આવેલા તરૃણકુમારે દીકરાને કોલ કરીને કહ્યું કે, હું ભગવાનના ઘરે જઉં છું.  ત્યારબાદ તેમણે બેડરૃમમાં જઇને ફાંસો  ખાઇ લીધો હતો. આ તરફ દીકરો વાઘોડિયા ચોકડી પાસે હતો. તે તરત ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. મિત્રની મદદથી ઘરનો દરવાજો તોડીને તેણે અંદર જઇને જોતા પિતાએ ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


Google NewsGoogle News