વડોદરાથી કેવડિયા સુધીનો રોડ હાઇસ્પીડ કોરિડોર વિકસાવાશે

રતનપુર ચોકડી, થુવાવી પાસે અંડરપાસ તેમજ કેલનપુર અને શિનોર ચોકડી પર એલીવેટેડ કોરિડોરની કામગીરી થશે

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
વડોદરાથી કેવડિયા સુધીનો રોડ હાઇસ્પીડ કોરિડોર વિકસાવાશે 1 - image

વડોદરા, તા.18 કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા  રૃા.૩૮૧.૧૬ કરોડની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આપી છે.

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ, સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામેલ છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં ટૂરીસ્ટ અહિં આવતા રહે છે. પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ સુધી પહોંચવામાં સરળતા રહે તેમજ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટૂરિઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.

હાઈસ્પીડ કોરિડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શનથી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સવસ રોડની કામગીરી, વુડા હદથી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ ૨.૫ કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહી, આ કામગીરીમાં  બે  અન્ડરપાસ અને બે  એલીવેટેડ કોરિડોર પણ નિર્માણ થશે.

રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર ૬ માર્ગીય વ્હિકલ અન્ડરપાસ,  તેમજ કેલનપુર ગામમાં અને  શિનોર ચોકડી ઉપર ૪ માર્ગીય એલીવેટેડ કોરિડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.




Google NewsGoogle News