વડોદરામાં ગરબા મહોત્સવના ફૂડ સ્ટોલના આરોગ્ય વિભાગના લાયસન્સ લેવા જરૂરી: સ્વચ્છતા નહિ રાખનાર, તમાકુની જાહેરાત કરનારા સામે કાર્યવાહી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ગરબા મહોત્સવના ફૂડ સ્ટોલના આરોગ્ય વિભાગના લાયસન્સ લેવા જરૂરી: સ્વચ્છતા નહિ રાખનાર, તમાકુની જાહેરાત કરનારા સામે કાર્યવાહી 1 - image

વડોદરા,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર

વડોદરા શહેર વિસ્તારમાં યોજવામાં આવતા ગરબા મહોત્સવમાં તમામ ફુડ સ્ટોલ ધારકોએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવી લેવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વિભાગના એડિશનલ હેલ્થ ઓફિસર મુકેશ વૈધે પરિપત્ર જારી કરી સૂચના આપી છે.

ગરબા ગ્રાઉન્ડની આસપાસ તમાકુ તથા પાન-મસાલાની આડકતરી રીતે જાહેરાત કરવી દંડનીય ગુન્હો બને છે. જેથી આવી કોઇ જાહેરાત ન કરવા સુચીત કરવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું છે.

વડોદરા શહેર વિસ્તારમાં આગામી નવરાત્રી તહેવારમાં શહેરમાં વિવિધ જગ્યાએ ગરબાનાં આયોજન સાથે વીવિધ ખાણી-પીણીનાં સ્ટોલ પણ રાખવામાં આવતા હોય છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે ટેમ્પરરી ફુડ સ્ટોલ ધારકોએ પણ નીયમ મુજબ લાયસન્સ મેળવવાનું હોય છે. વડોદરા શહેરનાં તમામ ગરબા આયોજકોને સુચીત કરવામાં આવે છે કે જે તે સ્થળે સ્ટોલ ધરાવતા તમામ ફુડ બીઝનેશ ઓપરેટરોને તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગની લાયસન્સ મેળવી લેવાનાં રહેશે. અન્યથા સ્ટોલ ધારકો તેમજ ગરબા આયોજકની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે માટે www.foscos.fssai.gov.in વેબસાઇટ ઉપર જઇ Apply for New License/Registration નાં પોર્ટલ ઉપર ઓનલાઇન કાર્યવાહી કરી લાયસન્સ મેળવી લેવાના રહેશે. આ બાબતે કોઇ પણ તકલીફ પડે તો ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારની કચેરી, રૂમન: 01, ગ્રાઉન્ડ ફ્લોર, રસીકરણ વિભાગ ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, રાજમહેલ રોડ,વડોદરા મહાનગરપાલિકા નો સંપર્ક કરવા જણાવ્યું છે.

ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરોની ટીમો દ્વારા નવરાત્રી દરમ્યાન દરેક સ્થળે આકસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોઇ, જે તે ગરબાનાં ફુડ સ્ટોલ દ્વારા લાયસન્સ મેળવેલા નહી હોય તેમજ ફુડ સ્ટોલની અંદર તેમજ ફુડ બનાવવાની જગ્યાએ શીડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવામાં નહી આવે તો તેની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

વધુમાં ગરબાનાં સ્થળોએ તમાકુ તેમજ પાન-મસાલા બાબતે તમાકુ નિયંત્રણ ધારા મુજબ ખોટી રીતે તમાકુ તેમજ પાન-મસાલાની જાહેરાત ન કરવા પણ સુચનાં આપવામાં આવે છે. અન્યથા તમાકુ નિયંત્રણ ધારા હેઠળ દંડની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News