પ્રેમિકાએ લગ્નની ના પાડતા હતાશ પ્રેેમીનો આપઘાત

ચિઠ્ઠીમાં પણ પ્રેમિકાએ લગ્નનો ઇનકાર કરતા આ પગલું ભર્યુ હોવાનું લખ્યું

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
પ્રેમિકાએ લગ્નની ના પાડતા હતાશ પ્રેેમીનો  આપઘાત 1 - image

વડોદરા,પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા  હતાશ થયેલા યુવકે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી  દીધું હતું. જે અંગે ગોરવા  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોરવા ગુ.હા.બોર્ડમાં રહેતા ૨૯ વર્ષના આનંદ રમેશકુમાર નાયકે ગત તા.૧૦ મી એ બપોરે ત્રણ વાગ્યે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોરવા  પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મહેશભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, આનંદ નાયક લક્ષ્મી વિલાસ પેલેસમાં નોકરી કરે છે. તેના પિતા દસ્તાવેજનું કામ કરે છે. આનંદને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ, તે યુવતીએ લગ્ન કરવાની ના પાડતા તે હતાશ થઇ ગયો હતો. તેના કારણે તેને જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસને એક ચિઠ્ઠી પણ મળી છે. જેમાં  પણ આનંદે  પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા આપઘાત કર્યો હોવાનું લખ્યું હતું.


Google NewsGoogle News