ઉધારમાં ખરીદેલા કપડાંની ઊઘરાણી કરનાર વેપારી પર હિચકારો હુમલો કરનાર ચાર હુમલાખોર પકડાયા

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ઉધારમાં ખરીદેલા કપડાંની   ઊઘરાણી કરનાર વેપારી પર હિચકારો હુમલો કરનાર ચાર હુમલાખોર પકડાયા 1 - image

વડોદરાઃ દિવાળીપુરા વિસ્તારમાં ઊઘરાણી કરનાર વેપારી પર જીવલેણ હુમલો કરનાર ચાર હુમલાખોરોને અકોટા પોલીસે ઝડપી પાડયા છે.

દિવાળીપુરાના જવાહરનગરમાં રહેતા અને કપડાંની દુકાન ધરાવતા આશિષ અગ્રવાલે પોલીસને કહ્યું હતું કે,પરમ ચૌહાણ મારીપાસે  કપડાં લઇ ગયો હતો.જેની રકમ બાકી હોવાથી મેં ફોન કરી રૃપિયા માંગ્યા હતા.પરંતુ પરમ રૃપિયા ચૂકવતો નહતો.

બે દિવસ પહેલાં પરમે મને રૃપિયા લેવા માટે રાતે પ્રથમ ચારરસ્તા પાસે બોલાવ્યો હતો.જ્યાં પરમ ચૌહાણ અને તેના ત્રણ સાગરીતોએ રૃપિયા કેમ માંગે છે તેમ કહી હુમલો કરતાં માથામાં ઇજા પહોંચી હતી.

પોલીસે આ અંગે કારમાં બેઠેલા ગોવિંદ વિહાભાઇ ભરવાડ(અમરકુંજ સોસાયટી, ગદાપુરા),જયેશ ભગવાનભાઇ ભરવાડ (ક્રિષ્ણા  સોસાયટી,વાસણા તળાવ પાસે), પરમજિતસિંહ સૂરજસિંહ ચૌહાણ (ગદાપુરા સોસાયટી,ઉત્કર્ષ વિદ્યાલય પાસે) અને રતન શંકરલાલ દેવાસી(ગદાપુરા, દિવાળીપુરા)ને ઝડપી પાડયા હતા.


Google NewsGoogle News