તા.૭મીએ નીકળનારી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News

વડોદરાઃ તા.૭મીએ નીકળનારી જગન્નાથજીની  રથયાત્રા નિમિત્તે પોલીસનું  ફૂટ પેટ્રોલિંગ 1 - imageવડોદરામાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે પોલીસ સહિતના વિવિધ વિભાગો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.

રથયાત્રા નિર્વિધ્ને પસાર થાય તે માટે પોલીસ દ્વારા શહેરના ચાર દરવાજા વિસ્તાર સહિતના સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.જે પૈકી ડીસીપી પન્ના મોમાયાના નેજા હેઠળ પોલીસે પંચમુખી હનુમાન મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

આગામી તા.૭મીએ નીકળનારી રથયાત્રા દરમિયાન રૃટમાં કોઇ અડચણ ના  પડે તે માટે ડીસીપીએ કોર્પોરેશન,વીજ કંપની અને બીએસએનએલના અધિકારીઓ સાથે પણ મીટિંગ કરી હતી.


Google NewsGoogle News