માંડવીના પૌરાણિક અંબા માતાના મંદિરના બીજા માળે આગ

રવિવાર અને સાંજનો સમય હોવાથી મોટી સંખ્યામાં ભક્તો હતા

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
માંડવીના પૌરાણિક અંબા માતાના મંદિરના બીજા માળે આગ 1 - image

વડોદરા,માંડવી એમ.જી.રોડ પર આવેલા અંબા માતાના મંદિરના બીજા માળે સાંજે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થળ પર જઇ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

મળતી માહિતી મુજબ, માંડવી એમ.જી.રોડ પર આવેલા પૌરાણિક અંબા માતાના મંદિરના બીજા માળે આગની ફ્લેમ દેખાતા તેઓએ શરૃઆતમાં ફાયર એક્સટિંગ્યૂશરની મદદથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ, ધુમાડા વધારે નીકળતા છેવટે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ કાબૂમાં લીધી હતી. જોકે, આગ બીજા માળે પંખામાં શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગ પહેલા માળે કે મંદિર સુધી પ્રસરી નહતી. ઉલ્લેખનીય છે કે, આજે રવિવાર હોવાથી તેમજ સાંજનો સમય હોવાના ભક્તો મોટી સંખ્યામાં હતા. જોકે, કોઇને ઇજા થઇ નથી.



Google NewsGoogle News