મુસાફરખાનામાં ગ્રાહકોની માહિતી નહીં રાખનાર મેનેજર સામે ગુનો નોંધાયો
વડોદરા,તા.3 જાન્યુઆરી 2024,બુધવાર
વડોદરા વિસ્તારમાં આવેલા મુસાફરખાનામાં ગ્રાહકોની વિગતો નહીં રાખનાર મેનેજર સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરની હોટલો તેમજ બહારથી મુસાફરો આવતા હોય તેવા સ્થળોએ ગ્રાહકોની તમામ વિગત અને ત્રણ મહિનાના સીસીટીવી બેકઅપ સહિતની વિગતો રાખી પથિક સોફ્ટવેરમાં અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે.
આવી વિગતો નહીં રાખનાર સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે છે. શહેર એસઓજી દ્વારા સયા વિસ્તારમાં આવેલા મુસ્લિમ મુસાફરખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ઉપરોક્ત સ્થળે રોકાતા ગ્રાહકોની માહિતી રાખવામાં નહીં આવતી હોવાથી પોલીસે અબ્દુલ કાદિર ફઝલ મલિક (રસુલજીની ચાલ, સયાજીગંજ) સામે ગુનો નોંધ્યો છે.