બાલાસિનોરમાં ફગવા જકાતનાકા પાસે ગમખ્વાર અકસ્માત : બે જણાંના મોત

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
બાલાસિનોરમાં ફગવા જકાતનાકા પાસે ગમખ્વાર અકસ્માત : બે જણાંના મોત 1 - image


કારે એક્ટિવા અને બાઇકને અડફેટે લીધી

વીરપુર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ મોત

બાલાસિનોર : બાલાસિનોર - વીરપુર રોડ પર આવેલા ફગવા જકાત નાકા પાસે ગુરૂવારે મોડી સાંજે  ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં એક મહિલા અને એક પુરુષના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા .

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર વીરપુર રોડ પર આવેલા ફાગવા જકાતનાકા પાસે ઇઓન ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તા પર જતી અન્ય મોટર સાઇકલ પણ આ અકસ્માતનો ભોગ બની હતી .જેમ ઘટના સ્થળે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ તુલસીબેન અને યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ હાલ થઈ ન હતી તેમ પોલીસે જણાવ્યું હતું .જ્યારે ગમખ્વાર અકસ્માત સર્જતા આસપાસના ટોળેટોળા વળી ગયા હતા જ્યારે અન્ય મોટરસાયકલ સવારને ઈજાઓ પોહચતાં નજીક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

ઈઓન કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર તુલસીબેન ફગોડતા મોટરસાયકલ પર જઈને પડતા મોટરસાયકલ સવાર નીચે પડી જતાં પગના ભાગે ઈજાઓ પહોંચી હતી જ્યારે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક બાલાસિનોર હુંડાઈ શોરૂમના મેનેજર હોવાનું જાણવા મળે છે. બાલાસિનોર ગમખ્વાર અકસ્માતમાં બે ના કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે ઇઓન કાર ચલાવનાર બાલાસિનોર સ્થિત હુંડાઇ કાર શો રૂમનો મેનેજર રાજેશ પટેલ હોવાનું સામે આવ્યું હતું. બાલાસિનોર ટાઉન પોલીસે ઘટના સ્થળે પોહચી બંને મૃતદેહોને પી.એમ અર્થે બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.


Google NewsGoogle News