વડોદરામાં ગોરવાના આંતરિક રસ્તા પરથી ઓટલા સહિતના દબાણો દૂર કરાયા

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ગોરવાના આંતરિક રસ્તા પરથી ઓટલા સહિતના દબાણો દૂર કરાયા 1 - image

વડોદરા,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરા કોર્પોરેશનના બાંધકામ પરમિશન વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમને આજે ગોરવા કેનાલથી રિફાઇનરી રોડ જતા જલારામ મંદિર પાસે આવેલ ગોપીનાથ ટેર્નામેન્ટના આંતરિક રસ્તા પરના દબાણો દૂર કર્યા હતા. અહીંના રસ્તા પર ઓટલા ઉપરાંત ટ્રી ગાર્ડ ઊભા કરી દેતા ટ્રાફિકના અવર જવરમાં વિક્ષેપ ઊભો થતો હતો. તંત્રને મળેલી ફરિયાદના આધારે આજે કાર્યવાહી કરવામાં આવી હતી. તેવી જ રીતે, શુસેન ચાર રસ્તાથી વડસર બ્રિજ સુધીના માર્ગ પર હંગામી દબાણો ખદેડવામાં આવ્યા હતા. ગઈકાલે ગાંધીનગર ગૃહથી ન્યાય મંદિર થઈ માંડવી સુધીના માર્ગ પર દબાણ શાખાની ટીમે સતત પેટ્રોલિંગ કરી દબાણકર્તાઓને બેસવા દીધા ન હતા. સમગ્ર રૂટ પરથી એક ટ્રક જેટલો સામાન કબ્જે લેવામાં આવ્યો હતો.


Google NewsGoogle News