વડોદરામાં ઢોર પાર્ટીની કાર્યવાહી દરમિયાન આખલાનું મરણ : કોર્ટમાં જવાની માલધારી સમાજની ચીમકી

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News


વડોદરામાં ઢોર પાર્ટીની કાર્યવાહી દરમિયાન આખલાનું મરણ : કોર્ટમાં જવાની માલધારી સમાજની ચીમકી 1 - image

Stray Cattle in Vadodara : રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરતી કોર્પોરેશનની ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન એક આખલાનું મરણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે મૃતક આખલાને લાલબાગ ઢોરવાડા ખાતે લાવવામાં આવતા અહીં માલધારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ બે મહિના પહેલા બે ગાયના મોત નીપજ્યા હતા અને આ માટે પણ તંત્ર જ જવાબદાર હતું. ત્યારે આજે નંદીનું મરણ થયું છે. અમારા પશુના વારંવાર થતા મરણથી સમાજમાં ખૂબ નારાજગી છે. એક તરફ સરકાર ગૌરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ પાલિકાની થતી કાર્યવાહી વેળા અમારા પશુના મોત થઈ રહ્યા છે. આ મામલે મેયર પણ એટલા જ જવાબદાર છે. સમગ્ર ઘટના અંગે અમે મેયરને રૂબરૂ મળી રજૂઆત કરીશું અને જો ન્યાય નહીં મળે તો સમગ્ર ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે.


Google NewsGoogle News