શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતી બાળકીનું મોત

એક વર્ષની બાળકીને ઝાડા, ઉલટી અને તાવ આવતા પાંચ દિવસ પહેલા દાખલ કરાઇ હતી

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતી બાળકીનું મોત 1 - image

વડોદરા,સયાજી  હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતી મધ્યપ્રદેશની એક બાળકીનું મોત થયું  છે.બાળકીનો રિપોર્ટ  હજી પેન્ડિંગ છે.  છેલ્લા ૨૪ કલાક દરમિયાન એકપણ નવું બાળક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયું નથી. 

મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રહેતા પરિવારની એક વર્ષની બાળકીને ઝાડા ઉલટી અને તાવ આવતા સ્થાનિક દવાખાને સારવાર લીધી હતી. બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા પાંચ દિવસ પહેલા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આઇ.સી.યુ.માં સારવાર લેતી બાળકીનું ગઇકાલે રાતે મોત થયું હતું. જોકે, બાળકીનો રિપોર્ટ હજી  પેન્ડિંગ છે. સયાજી હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઇ નવું બાળક સારવાર માટે દાખલ થયું નથી. હાલમાં સયાજી હોસ્પિટલમાં ચાર બાળકો વોર્ડમાં તથા ચાર બાળકો આઇ.સી.યુ.માં સારવાર લઇ રહ્યા છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં એક બાળક સારવાર હેઠળ છે.


Google NewsGoogle News