For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિવાળીપુરા વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગતાં ઘરવખરીને નુકસાન

Updated: May 7th, 2024

દિવાળીપુરા વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગતાં ઘરવખરીને નુકસાનવડોદરાઃ દિવાળીપુરા વિસ્તારના બંધ મકાનમાં આગ લાગવાનો બનાવ બનતાં ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.

દિવાળીપુરા ગાર્ડન પાસે જયનિધિ ટાઉનશિપમાં આવેલા બંધ મકાનમાંથી બપોરે ધુમાડા નીકળતા હોવાથી ફાયર બ્રિગેડને જાણ  કરાતાં તાળું તોડીને કામગીરી કરવામાં આવી હતી.

લગભગ એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી.બેંગ્લોર ગયેલા પરિવારના મકાનમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ ફ્રિજમાં શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે.

Gujarat