મદનઝાંપા રોડ પર થયેલી મારામારીમાં વળતી ફરિયાદ

કચરો નાંખવાના મુદ્દે તકરાર થતા પાઇપથી હુમલો કર્યો

Updated: May 17th, 2024


Google NewsGoogle News
મદનઝાંપા રોડ પર થયેલી મારામારીમાં વળતી ફરિયાદ 1 - image

વડોદરા,મદનઝાંપા રોડ પર કચરો નાંખવાના મુદ્દે થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ છે. નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બરાનપુરા શક્તિ પોળમાં રહેતા સિનિયર સિટિઝન ભૂપેન્દ્રભાઇ કાંતિભાઇ ખારવાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારૃં એક મકાન પથ્થર ગેટ આઝાદ મેદાનની સામે છે. ત્યાં અમારા ભાડૂત રહે છે. આ મકાનની સામે એક ખુલ્લી જગ્યા આવેલી છે. જે મારી માલિકીની છે. જે જગ્યાનો વિવાદ અમારે જીતેન્દ્રભાઇ ખારવા સાથે ચાલે છે. તેનો કેસ કોર્ટમાં ચાલે છે. ગત તા. ૧૩ મી એ અખિલ જીતેન્દ્રભાઇ ખારવાએ કોર્પોરેશનમાં કચરો નાંખવા બાબતે ફરિયાદ કરી હતી. બીજે દિવસે ૧૪ મી તારીખે કોર્પોેરેશનનો સ્ટાફ આવતા મને ફોન કરીને બોલાવતા હું ત્યાં ગયો હતો. તે દરમિયાન અખિલ ખારવા અને તેના પરિવારજનોએ મારા તથા મારા પરિવાર પર  હુમલો કર્યો હતો. આરોપીઓએ લોખંડની  પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી


Google NewsGoogle News