દંતેશ્વરમાં નિવૃત્ત પોલીસ કર્મચારી પર હુમલો થતા ફરિયાદ

ઘર પાસેની જગ્યાની માલિકીના વિવાદમાં ઝઘડો થયો હતો

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News

 દંતેશ્વરમાં નિવૃત્ત પોલીસ કર્મચારી  પર હુમલો થતા ફરિયાદ 1 - imageવડોદરા,દંતેશ્વરમાં ઘર આગળની જગ્યાની માલિકીના વિવાદમાં નિવૃત્ત પોલીસ કર્મચારી પર  હુમલો કરવામાં આવ્યો હતો.

દંતેશ્વર હરિઓમ નગરમાં રહેતા અને પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા ભાઇલાલભાઇ વિઠ્ઠલભાઇ બારિયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે હું મારા ઘરે હતો. તે સમયે અમારી બાજુમાં રહેતા પૂજાબેન તેમના ઘર પાસે આંગણામાં સાફ સફાઇ કરતા હતા. તે દરમિયાન નજીકમાં રહેતા ધર્મેન્દ્રભાઇ પૂજાબેનને કહેવા લાગ્યા હતા કે, આ જગ્યા અમારી છે. તમારે અહીંયા આવવાનું નહીં. જેથી, મેં ધર્મેન્દ્રભાઇને કહ્યું કે, આ જગ્યા અમારી છે.તેના કાગળો  પણ અમારી પાસે છે. ત્યારબાદ ધમેન્દ્રસિંહ, તેમની પત્ની અને પુત્રે અમારી સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. 


Google NewsGoogle News